વિચારો, શબ્દો અને પરિવર્તન…


વિચારો…!!!

આપણી જિંદગી નો એક સર્વ સામાન્ય ભાગ કે જેના વિના આપણે જિંદગી ની કલ્પના પણ ન કરી શકીએ.

આ કલ્પના પણ એ એક વિચાર જ છે ને…

વિચારો આપણા જન્મ જાતથી જ સાથે હોય છે અને જ્યાં સુધી આપણે હયાત રહેવાના ત્યાં સુધી તે આપણો સાથ છોડવાનો નથી. આથી  વિચારો આપણા ખાસ મિત્રો કે અંગતો કે તેનાથી પણ વધુ હોય છે.

વિચારો આપણા મગજ માં ચાલ્યા જ કરે છે, પછી ભલે એ કોઈ પણ અવસ્થામા હોય સિવાય કે ધ્યાન (એવુ સાંભળેલુ).

આપણા વિચારો પરથી જ આપણું વ્યક્તિવ અંકાય છે. 

આથી જેવા વિચારો આપણે કરીશું કે મેળવીશું તેવા જ આપણે થઈશું. 

આમ તો વિચારો ઘણાં પ્રકાર ના હોય છે. પણ સામાન્ય રીતે હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારો ..પણ હમણાં તો મારે હકારાત્મક વિચારો વિષે જ વિચારવું છે કેમકે, જેવા આપણા વિચારો તેવા જ તો આપણે થઈશું ને..!

 હકારાત્મક વિચારો મા એક એવી આવડત,કૌશલ્ય કે શક્તિ હોય છે કે તે નકારાત્મક વિચારો પર આક્રમણ કરીને તેને હટાવવાની કે  ભગાડવાની કોશીશ કરે છે…પણ તેના માટે પણ વ્યક્તિમાં ખાસ પ્રકારનુ કૌશલ્ય હોવુ જોઈએ કે હકારાત્મક વિચારો નકારાત્મક વિચારો પર હાવી થઈ શકે.

આમ તો આપણા વિચારો આપણને ઊચ્ચ સ્થાન ઊપર બેસાડે છે. અને તેજ વિચારો આપણ ને સાવ છેલ્લી ક્વોલીટીના સ્થાન પર લાવી મુકે છે.

હકારાત્મક વિચારો દ્વારા આપણે આપણું ભાવિ સુધારી શકીએ છે. 

એક સામાન્ય ઉદાહરણ..જો આપણામાં લખવાનું કૌશલ્ય હોય પણ આપણા નકારાત્મક વિચારો જેવા કે આપણે આ નહીં કરી શકીએ,આપણુ આ કામ નહિ, આપણને એવો ટાઇમ રહે નહી,લખાણ કાર્ય જેવી તેવી વ્યક્તિનુ કામ નહી …આવા વિચારો આપણને આગળ વધવા દેશે નહી..તેથી તેનો ત્યાગ કરીને હકારાત્મક વલણ અપનાવવુ જોઈએ. અને  તે ક્ષેત્ર મા ઓછામાં ઓછું પ્રયત્ન તો કરી જ લેવો જોઈએ.

એક મારી બહુ ગમતી વાતઃ

 નસીબમાં તો પહેલેથી જ લખાઈ ગયું છે તો પ્રયત્નો કરવાથી શું મળશે?

 શું ખબર નસીબમાં એમ લખ્યું હોય કે પ્રયત્ન કરવાથી જ મળશે!!!!

 

વેલ…

આ ઉપરના શબ્દો મારા નથી.
૧૯ વર્ષનો પોરબંદરનો એક દોસ્ત – અનિલ, https://www.facebook.com/anil.mulchandani.39
જેને મેં તો હજુ જોયો પણ નથી અને એણે આજ સુધી આ રીતે કંઈ જ લખ્યું નથી.. અરે,  લખવાનો વિચાર સુધ્ધા નહોતો કર્યો એણે વાત વાતમાં આ લખીને મને મોકલ્યું ત્યારે જે ખુશી થઈ હતી એને શબ્દો ઓછા પડે એટલે ગમતાનો ગુલાલ કરી જ નાખ્યો.

 

ક્યારેક એમ થાય કે બોલાયેલા કે લખાયેલા શબ્દો ક્યાંય પહોંચ્યા વિનાજ ખોવાઈ જાય છે તો ક્યારેક શબ્દો ઈતિહાસ બદલી નાખે છે અને…. ક્યારેક સામાન્ય વાતચીતમાં બોલાયેલા ચંદ શબ્દો આમ કોઈને હકારાત્મકતા તરફ પણ વાળી શકે છે… પરિવર્તન માટે એક તણખોય કાફી છે ને!

હોય નાની નાની વાતો પણ એની ખુશીઓ કેવડી મોટી હોય નહીં? 

 

“વિચારો, શબ્દો અને પરિવર્તન…” માટે એક પ્રત્યુત્તર

Leave a reply to anilpm18 જવાબ રદ કરો